Thursday, February 10, 2011

ભગવાનશ્રી જગન્નનાથ

ભારતના પૂર્વ કિનારા તરફ સમૃધ્ધ કિનારે જગન્નનાથપૂરી રાજધાની છે. લાખો લોકો ત્યાં ભગવાન જગન્નનાથના દર્શન કરવા જાય છે. એ મોક્ષદાયિકાપૂરીમાં પોતાનું જીવન ધન્ય બનાવે છે.
અયોધ્યા ,મથુરા , ગયા, કાશી, કાંચી, અવન્તિકા
પૂરી,દ્રારામતિ ચૈવઃ સપ્તેતા મોક્ષદાયિકા ।।
હજારો ભક્તો ત્યાં આવે છે. કેટલાક મનોકામનાઓ માટે કેટલાક નિશંક બનીને આવે છે. ભગવાન જગન્નનાથનો દએશન કરી મનમાં વિચાર આવે છે. આટલું સુંદર ભવ્ય મંદિર અને અહીં હાથપગ વિનાની લાકસ્ડાની મૂર્તિ કેમ હશે? તેની પાછળનું કારણ શું હશે? તેની પાછળની કથા જે હોય તે પરંતું આ મૂર્તિ જીવનને ત્રણ વાતો સમજાવે છે. તે આશ્ર્વાશન આપે છે. આર્શીવાદ આપે છે અને માર્ગદર્શન આપે છે. આજથી હજારો વર્ષ પહેલાંની વાત છે. ઇન્દ્રધુમ્ન નામના રાજાએ જગન્નનાથપૂરી વસાવ્યું હતું. અતિશય મનોહર સુંદર નગરીમાં ભવ્ય પ્રસાદો અને મહાલયોની ભારતની મહાન શિલ્પકળાની સાક્ષી પૂરતા હતા રાજાને થયું કે આ સુંદર નગરમાં એકાદ સુંદર મંદિર હોય તો નગરની શોભામાં ઘણી દિવ્યતા અને ભવ્યતા આવે . લાખો રૂપિયા ખર્ચીને સારામાં સારા કારીગરો બોલાવી ઉતમ શિલ્પવાળા વિશાળ મંદિરની રચના કરાવી ઘણાં વર્ષો સુધી હજારો કારિગરો રોકીને મંદિર પૂર્ણ કરાવ્યું . સર્વ ઠેકાણે હિરામાણેક જડાવ્યા મંદિર શોભામાં ખુબજ વૃધ્ધિ કરી આખા વિશ્ર્વમાં અજોડ એવા મંદિરની સ્થાપના કરવામાં આવી રાજાની વાહ વાહ થવા લાગી એક વૃધ્ધ બ્રાહ્મણ આવ્યા મંદિરની શોભાના ખુબજ વખાણ કર્યા અને રાજાને પૂછ્યું કે આ મંદિરમાં કોની મૂર્તિ પધરાવવાના છો? મંદિર સર્જનના વિચારમાં રાજાએ કોની મૂર્તિ પધારાવવી એવો વિચાર સુધ્ધાં કરેલો નહિ. વૃધ્ બ્રાહ્મણ આગળ રાજાએ ખુલાસો કર્યો અને કઈ મૂર્તિ પધરાવવી એ અંગે માર્ગદર્શન આપવા વિનંતી કરી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ હું ઘણુમ ફર્યો છું. પણ આવું સુંદર અને ભવ્ય મંદિર મે ક્યાજોયું નથી. તેથી તેને અનુરૂપ અને મંદિરની શોભામાં વૃધ્ધિ કરે તેવી એક મૂર્તિ છે. એ નીલમાધવની મૂર્તિ નિલાચળ પર્વતમાં છે. એ અહીં લાવો અને આ મંદિરમાં પધરાવો, તો મંદિરની શોભા અદ્રીતીય હશે સોના અને રતનનો સંગમ દિપી ઉઠે છે તેમ આ મંદિર દિપી ઉઠશે. રાજાએ નિલમાધવની મૂર્તિની તપાસ શરૂ કરાવી . રાજાના જાસૂસો માણસો ઘણાજ ફર્યા પરંતું મૂર્તિ ક્યાં મળિ નહિ, તેથી રાજાએ મૂર્તિ શોધી લાવનારને મોટી બક્ષીસનું ઇનામ જાહેર કર્યું. આખરે વિધ્ધાપતિનામના રાજાના જાસૂસે મૂર્તિ શોધી લાવવા નિર્ણય કર્યો. રાજાની આજ્ઞા લઈને તે નિલાચળ પર્વત પાસે આવ્યો. ત્યાં ભીલોનું એક ગામ હતું. ફરતાં ફરતાં એને સબરોનું એક ટોળું જોયું તે લોકો ને પ્રેમથી રહેતાં હતાં . વિધાપતિએ સબોલાઅના અગેવાનનોને આટલા પ્રેમથી રહેવાનું કારણ પૂછયું ત્યારે તેમને નિલમાધવની કૃપા છે એમ જણાવ્યું. ત્યારે નિલમાધવની મૂર્તિ ક્યાં છે. તે અંગેની વિધ્ધાપતિએ માહિતી પૂછતાં તે સબરોના આગેવાને મૂર્તિ ક્યાં છે. એની ખબર નથી એમ જણાવ્યું. અને કહ્યું કે અમાર સબરોના સરદાર વિશ્ર્વાવસૂતની પૂજા કરે છે. તેમના સિવાય અમને કોઇને તેની ખબર નથી. તે વિધ્ધપતિ વિશ્ર્વાવસુને ઘેર ગયો. ત્યારે વિશ્ર્વાસું હાજર ન હતો પરંતું તેની યુવાન દિકરી ઘેર હાજર હતી. એને આવેલા મહેમાનને આવકાર આપ્યો. વિધ્યાપતિએ વિવેકપૂર્વક શિષ્ટાચારથી વિશ્ર્વાવસુને મળવા માટે જણાવ્યું. વિશ્ર્વાવસુએ દિકરી યુવાન અને સંસ્કારી હતી. વળી સુંદર પણ હતી. તેને યુવાન વિધ્યાપતિને જોયો અને તેના વિવેક અને શિષ્ટાચાર જોઇ તેના તરફ આકષણ થયુ. બંનેના એકબીજા પ્રત્યે મનોભાવ આકર્ષાયા અને વિશ્ર્વાવસુની દિકરીએ આ યુવાન વિધ્યાપતિને ત્યાંજ રોકી રાખવા નિર્ણય કર્યો. અને વિધ્યાપતિએ પણ કાર્ય સફળતા માટે આ માધ્યમ ઠીક છે. એવું સમજી રોકાઇ જવાનું નક્કી કર્યું. વિશ્ર્વાવસુ બહારથી આવ્યા ત્યારે તેની દિકરીએ આવેલા વિધ્યાપતિનો પરિચય કરાવ્યો અને તેને પોતાને ત્યાં રોકી રાખવા ભલામણ કરી. બાપે પુત્રીની ભલામણ સ્વીકારી ખુબજ આદરથી પોતાને ત્યાં વિધ્યાપતિને રાખ્યો. સબરકન્યા અને વિધ્યાપતિનો ધીરેધીરે પરિચય વધ્યો અને એકબીજાએ લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું. એકવખત લાગ જોઇને વિધ્યાપતિએ સબર કન્યાને કહ્યું કે તમારા પિતા જે સવારે રોજ પૂજા કરવા જાય છે. એ નિલમાધવનાં મારે દર્શન કરવાં છે. સબરકન્યાએ ખાતરી આપી અને તેના પિતાને વાત કરી થોડી આનાકાની કર્યા પછી વિશ્ર્વાવસુ વિધ્યાપતિને દર્શન કરાવવા માટે સાથે લઈ જવા તૈયાર થયા. પરંતું એક શરત મૂકીકે વિધ્યાપતિ જ્યારે સાથે આવે ત્યારે આંખે પાટા બાંધીને આવવું વિધ્યાપતિ તેમ કરવા સંમત થયા અને પાટા બાંધી વિશ્ર્વાવસું સાથે ચાલ્યા અને તેમની સાથે રાઇના દાણા રાખ્યા અને આખે રસ્તે વેરતાં વેરતાં એ ચાલવા લાગ્યો થોડી વાર પછી બંને એક ગુફામાં પ્રવેશ્યા ત્યાં જઈ વિશ્ર્વાવસુએ વિધ્યાપ્તિના પાટા છોડી નાખ્યા તો સામે તેજકુંજ અને દિદિપ્યમાન ભગવાન નિલમાધવની મુર્તિના દર્શન થયાં આ મૂર્તિ જોતાં વિધ્યાપતિ ચકિત થઈ ગયો તેનો જાસૂસી ભાવ પ્રગટ થયો વિશ્ર્વાવસુ તેનો ભાવ કરી ગયો તેની અનુભવી આંખો બ્વિધ્યાપતિને જોયો તેનામાં ભક્તિબાવ નથી. તેને વિધ્યાપતિને પકડ્યો અને બીજી એક ગુફામાં પૂરી દીધો.સબરકન્યાને ખુબ દુખ થયું એને વિધ્યાપતિને શોધી કાઢ્યો અને છાનીમાની ખાવાનું આપવા પહોંચી ગઈ અને રોજ તેને ખાવાનું આપવા લાગી એકવાર તેને વિધ્યાપતિને કહ્યું કે તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ ત્યારે વિધ્યાપતિએ કહ્યું કે હું બંદિવાન છૂ તને હું કેવી રીતે પરણી શકું? પણ તને ખબર નથી અમારા રાજા મારૂ સન્માન કરવાના છે. ઘણી મોટી બક્ષીસ આપવાના છે. માટે તું અહિંથી મને મુક્ત કર અને હું મારા વતનમાં ીને પછી તારી સાથે લગ્ન કરીશ. સબરકન્યાએ તેને ગુફામાંથી મુક્ત કર્યો અને તેને વિદાય આપી. વિધ્યાપતિ જગ્નાથપૂરી આવ્યો રાજા ઇન્દ્રધુમ્ન રાહ જોઇને બેઠા હતા. વિધ્યાપતિને આવતાં પૂછ્યું કે વિઢ્યા નિલમાધવની મૂર્તિ જડિકે નહિ કેવી છે. આપણા મંદિરમાં શોભશેકે કેમ તે મને જણાવો ત્યારે વિધ્યાપતિએ કહ્યું કે મંદિરની શોભા અનેક ઘણી વધારી શકે તેવી દિવ્ય અને ભવ્ય નિલમાધવની એ મૂર્તિ લાવવી અતિ મુષ્કેલ છે. એના માટે મારે વિકરાળ એવી ગુફામાં બંદિવાન રહેવું પડ્યું છે. હે મહારાજા તે મૂર્તિ સબર સરદાર વિશ્ર્વાવસુના તાબામાં છે. અને તેના સિવાય તે મૂર્તિની કોઇને ખબર નથી હું શળથી ત્યાં ગયો છું. અને મૂર્તિના દર્શન પણ કર્યા છે. અને સબરોના ગામથી ગુફા સુધી રાઇના દાણા નાખેલાં છે. જે હવે ઉઘી ગયા હશે રાજાએ સૈન્યની વ્યવસ્થા કરી વિધ્યાપતિને મોકલ્યો વિધ્યાપતિ એ ગુફામાં દાખલ થયો પરંતું ત્યાં નિલમાધવની મૂર્તિ હતી નહિ તે પાછો ફર્યો અને રાજાને મૂર્તિ અદશ્ય થઈ ગઈ છે તેવા સમાચાર આપ્યા. રાજા બેબાકળા થયા તે નિલમાધવની મૂર્તિ મેળવવા માટે અધીરા બન્યા અને અનેકવારતો દરિયા કિનારે જઈને બેઠ્યાં તે સમયે ભગવાન નિલમાધવે રાજાને દર્શન આપ્યાં અને કહ્યું કે હે રાજા અહંકારથી તું મારી મૂર્તિને તારા બનાવેલા એ મંદિરમાં મૂકવા માગે છે. પરંતું અહંકારથી તે કાર્ય થઈ શકશે નહિ માટે મારી ભક્તિ કરી શરણે આવીશ ત્યારે એ કાર્ય થશે. રાજા તું અહંકારના જોરે એ મૂર્તિ લેવા ચાહે છે. તેથી તે અદ્શ થઈ ગઈ તારે તો જેમ એકાદ સંગ્રાલયમાં નમૂનો રાખવો હતો તેમ આ મંદિરમાં મારી એ મૂર્તિ રાખવી હતી. અહંકારથી કદાપિ ભગવાન આવતા નથી . હે રાજા તારે જગતનાસ્થને તારા મંદિરમાં લાવવા હોય તો તુ એવું કામ કર તારો આ વૈભવ એવી રીતે વાપરજે કે જેથી શ્રધ્ધાહિન ભક્તિહિન લાચાર દિનહિન દુબળા લોકોમાં શ્રધ્ધા નિર્માણ થાય એમનામાં ભક્તિભાવના પ્રગટે એમનું જીવન તેજસ્વી બને આવા દ્રઢતા કાયર દુર્બળ નિસ્તેજ નિષ્ક્રિય ખોડીયારૂપી દેહમાં આત્મારૂપી રહેતા પરમાત્માને કેટલી મુઝવણ થતી હશે? માટે હે રાજા તું યજ્ઞો કર
ઇન્દ્રદુમ્ન રાજાને પોતાની ભૂલ સમજાઈ તેને થયું કે ભગવાન જેમ રડતાં માણસને ત્યાં નથી આવતાં તેવીજ રીતે અહંકારી માણસ પાસે પણ નથિ આવતાં ભગવાનને આમંત્રણની જરૂર નથી . આમંત્રણથી તો માણસ આવે ભગવાન ના આવે માનવી એવું કર્મ કરવા લાગે આ મહાપુરૂશો જેવું કે તે જોઇએ ભગવાનને આવવાની ફરજ પડે આ રાજાએ બનાવેલું ભવ્ય મંદિર એમને એમને પડ્યૂ રહ્યૂ ભગવાનનો આ દેશ માથેશ ચડાવી ઇન્દ્રદુમ્ન રાજાએ ઘણા યજ્ઞો કર્યા . હાલના સમયમાં યજ્ઞ વિશે સમજ એવી છે કે યજ્ઞનું આયોજન બતાવી પૈસા ભેગા કરવા મંડપ બાંધવો અને અગ્નિકુંડમાંસ્વહા સ્વહા કરી જવ તવ વગેરે બ્રાહ્મણોને બેસાડવા અને તેમને જ્કમાડવા એટલે થઈ ગયો યજ્ઞ યજ્ઞ એટલે વ્રજધાતું ઉપરથી બનેલો છે વ્રજ એટલે દેવપૂજા સંગતિકરણ મૈત્રીકરણ ખરીરીતે એક મુખ્ય બ્રાહ્મણ હોય અને બીજા બ્રાહ્મણો વ્યવસ્થા મુજબ આવે . યજ્ઞની મર્યાદા પ્રમાણે બ્રાહ્મણોની સંખ્યા હોય રાત્રિના ત્રીજા પહોરના અંતે ઉઠીને સ્થિત એકાગેઅ કરીને પ્રાતઃ સંધ્યાથી પળવાળી આ બ્રાહ્મણો પ્રત્યેક બ્રાહ્મણ પાસે અગ્નિકુંડ હોય તેમાં અગ્નિ પ્રજલિત હોય તેની પૂજા થાય . ગણપતિ ગ્રહો દેવો વગેરેની સ્થાપના હોય દરેકની પૂજા થાય . આ અગ્નિમાં સમીધ મૂકાય આ અગ્નિ લગ્ન સમયે ચોરીમાં લાવી તેમાં હોમ થાય તે અગ્નિની સાક્ષીએ ગૃહસંસારની શરાત થાય એ અગ્નિની રસોડામાં કાયમી સ્થાપના થાય . અને મરણ સમયે પણ એજ અગ્નિ સ્મશાનમાં લઈ જવાય . અગ્નિનય સુકથા રાચે અસમાન હે અગ્નિ અમને સુપથે તું લઈ જા. એ ભાવના બદલે આજે છાણા લાવીને પેટીથી સળગાવીને અગ્નિ પાડે અને તે દોણીમાં લઈ જાય છે. આમ અગ્નિ લઈ જવાનો કોઇ અર્થ નથી . વાસ્વિકતા એ છે કે ઘરમાં અગ્નિ સ્થાપિત હોય એનું સતત પૂજન થવું જોઇએ . જીંદગી સુધી તેની પૂજા કરીને તેજસ્વી અગ્નિને અંતકાળે સાથે લઈ જવો જોઇએ? એ ભાવના અખંડ અગ્નિ રાખી પૂજા કરવાની ભાવના શ્રી વાળીનાથ જેવા મઠમંદિરોમાં છે. પરમપૂ. પ્રાતઃ વંદનીય ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજ શ્રી એ પ્રગટાવેલી અખંડ ધૂણીનાં આજેય પણ દર્શન થાય છે. શ્રી વાળિનાથ મંદિરની પરંપરામાં અખંદ અગ્નિ ધૂણિરૂપે અને અખંડ જ્યોત નિરાધારને આશ્રય ભૂખ્યાને ભોજન અને સેવા કાર્ય અખંડ છે. આવા સ્થાન માટે ભગવાનને આમંત્રણ નથી આપવું પડતૂ નથી સ્વયં ભગવાન ત્યાં આવીને આસન જમાવી બેસી જાય છે જેમાં ભગવાન શ્રી વાળીનાથ હજરાહાજુર બિરાજમાન છે . આ અખંડ ધૂણીની ચપટી ભબૂત ત્રણેય લોકને સુખ આપવા શક્તિમાન છે. કોઇ દુખિયાના દુખ દુર કરી નાખનારી અગ્નિદેવની ભસ્મનો મહિમા ઘણો મોટો છે. આવો અખંડ અગ્નિ બિરાજમાન છે ત્યાં રિધ્ધી સિધ્ધીનો કાયમી વાસ છે.
શ્રી વાળિનાથ નગરમાં શ્રી શંકર ભગવાન મા ભગવતી શ્રી ચામુંડામાતા, દયાસાગર શ્રી ગણેશ અને શ્રી ગોગમહારાજ પ્રત્યક્ષ રૂપે બિરાજે છે. ભગવાનને ખોળવા જવાની જરૂર નથી . ભગવાન કર્મયોગમાં,સત્યવચનમાં, સત્યનિતિમાં, પરમાર્થ સેવામાં હાજરા હજુર છે. કોઇનું અહિત કરવામાં ભગવાન નથી , વર્તમાન સમયમાં ઘણા ધર્મગુરૂઓમાં એક વિકૃતિ જણાય છે કે કોઇ મારાથી સમર્થ સંત આવશે તો મારા શિષ્યોને તેમના તરફવાળી દેશે આવી ભ્રમણા અંતરમાં રાખીને જુદાઇ પણામાં વર્તે છે. પરંતું તે ખોટી બ્રમણા છે. શ્રી વાળીનાથ ધામમાં પરમ પૂ. મહંત બાપશ્રી બાપુશ્રીકે પુજ્ય કોઠારી બાપુશ્રી કેમ ક્યારેય એવું નથી વિચારતા ઘણા સેવકો શિષ્યના ત્યાં પધરામણીમાં બહારના સંતોને પણ સાથે રાખે છે.અને પોતાના સમાન માન પાન અને ભેટ પૂજા અપાવે છે. કેટલી ઉંચી અને મહાન ભાવના હશે એ મહાપુરૂષોની અને એમનાજ પાસે સ્વયં પરમાત્મા વસતા હોય છે. ગરીબ કે તવંગર ગ્તમેતે સેવકનું આમંત્રણ હોય. સમયસર પહોંચી જવું કોઇપણ પ્રકારના ભેદભાવ વિના દરેકને સરખાભાવે રાખવા ઘણા સંપ્રદાય કે મંદિરોમાં ધનવાનો માટે અલગ વ્યવસ્થા હોય છે. જ્યાત્રે શ્રી વાળીનાથધામ એ માટે એક મહાનભાવના સાથે સમાનતાને વર્તે છે. તે આવા મહાપુરૂષોની સમાનભાવનાનાં સ્પષ્ટ દર્શન છે. પરમ પૂ. મહંત બાપુશ્રી સૌની સાથે ભોજન લેવા બેસે અને સાથે પીરસાય ઘણા ઠેકાણે પ્રમુખ સંત હોય તેમને જમવાની અલગ વ્યવસ્થા હોય છે. પરંતું શ્રી વાળિનાથધામના પરમ પૂ. મહંત બાપુશ્રી કે પૂજ્ય કોઠારી બાપુશ્રી જેવા સતકર્મી સત્યવચની જગતમાં ક્યાંય જોવા મળતા નથી . મહાપુરૂષોની ભેદરહિતની ભક્તિ એટલેતો ભગવાન એમની સમક્ષ બિરાજે છે. પરમ પૂ. પાડુંરંગ દાદા કહે છે કે સ્થાપિત અગ્નિની ભાવના આજેય લુપ્ત થતી જાય છે. અને અંતકાળે દૂણિમાં નવો અગ્નિ સળગાવી લઈ જવો પ્ડે છે. સાપ ગયા અને લીસોટા રહ્યા. એવી વાત છે. યજ્ઞ ચાલું હોય લોકો આવતા હોય યજ્ઞના અગ્નિનાં અને પધારેલા સંતોના દર્શન કરતાં હોય અગ્નિપણ તેજસ્વી અને સંતો પણ તેજસ્વી બંન્નેમાં દરેક ભક્તો ભાવથી દર્શન કરે છે. દરેક ભક્તો ભાવથી દર્શન કરે છે. ભગવાનને બે મુખ છે. એક મુખ સંતનું અને બીજું મુખ અગ્નિનું એ બંન્ને ના દર્શન કરી લોકો ધન્ય બને છે. આજેય યજ્ઞનું વિકૃતરૂપ આવવાથી લોકોની અંતર ભાવના ઘટતી જાય છે. દિવસનું પ્રથમ પ્રહર અડધો થાય તો બ્રાહ્મણો ભેગા થાય દિવસનો પહેલો પ્રહોર પૂરો થાય ત્યારે ચા પાણી કરીને તાજગી મેળવે અગ્નિદેવ તેમને તાજગી નહિ આપતાં હોય એટલે કરે પણ શું? બપોરના બે ત્રણ વાગે કોઇય જ્ઞ પૂરો કરી જમવા બેસી જાય . અને જમીને આરામ ફરમાવે ણકે યજ્ઞ કરવાની નિરસ પ્રવૃતિથી થાકી ગયા હોય આવા યજ્ઞોથી જીવન ક્યાંથી તેજસ્વી બને?
ઇન્દ્રદુમ્ને મહાપુરૂષોના વચનો પ્રમાણે એકસો યજ્ઞો કર્યા ૫૦૦-૫૦૦ બ્રાહ્મણો તેમને યજ્ઞમાં રોકી રાખ્યા . યજ્ઞોના પરિણામે લોકોના જીવન ભક્તિમય બન્યાં લોકો તેજસ્વી જીવન જીવવા લાગ્યા. પરંતું રાજા એ નક્કી કર્યું કે ભગવાનને બોલાવવા નથી . ભગવા ભક્તિપૂર્ણ કર્મયોગ વિના ક્યારે પધારતા નથી . તેથી રાજાએ પરિપૂર્ણ કર્મયોગ દ્રારા ઘણાં લોકોના જીવન દૈવી અને તેજસ્વી બનાવ્યા. છતાં ભગવાન ક્યારે આવશે? એ વિષે વિચાર્યા વિના પોતાનું ધર્મકાર્ય ચાલું રાખ્યું. એકરાત્રે તેને ઉંઘમાં સપનું આવ્યું . તેને ભગવાને સપનામાં કહ્યું કે આ અઠવાડિયામાં દરિયા કિનારે એક મોટું વૃક્ષનું થડ તણાઇને આવશે તેના ઉપર શંખ ચક્ર ગદા અને પદ્મની આકૃતિ હશે. તેમાંથી તું મૂર્તિ બનાવડાવજે રાજાએ નક્કી કર્યં હતું કે ભગવાન સ્વયં આવે હવે શોધવા નથી માત્ર કર્મ કરેજ રાખવું મહાન કર્મયોગ હોવા છતાં . પણ શાંતિથી રાજા ભગવાન પધારવાની રાહ્હ જોતો બેઠો હતો રાજાનો આવો મહાન કર્મયોગ જોઇ ભગવાન ખુશ થયા. બે ત્રણ દિવસ પછી સબર દ્રીપમાંથી એક મોટું વૃક્ષનું થડ તણાઇને કિનારે આવ્યું . થડની રાહ જોતાં દૂતોએ રાજાને સમાચાર આપ્યા રાજા થડને જોઇ ખુશ થયા ધન્ય છે રાજાની ભક્તિને તેની ભગવાન પ્રત્યેની નિષ્ઠાને આટલું મોટું ભવ્ય મંદિર મૂર્તિ વિના હતું . પરંતું કોઇ મૂર્તિ રાજા પધરાવતો ન હતો લોકોની કેટકેટલી ટીકાઓ સાંભળી રાજા પોતાના નિર્ણયમાં અચળ રહ્યો પરંતું હજું કસોટી બાકી હતી.ભગવાન આવ્યા પણ થડરૂપે અને એ થડમાંથી સારામાં સારા કારીગરો બોલાવ્યા પરંતું જે કારીગરો આવે અને હથિયાર દ્રારા થડમાંથી મૂર્તિની કોતરણિ કરવા લાગે પરંતું થડમાં કોઇ હથિયાર ચાલતું નથી બધાજ હતાશ થયા. આટલી તપશ્ર્યા પછી માંડ કરીને પ્રભુની ઇરછાથી એક દૈવી થડ આવ્યું પરંતું તેમાં કોઇ કારીગરના હથિયાર લાગતાં નથી. રાજાએ ધીરજ ના ગુમાવી મનમાં સમાધાન કર્યું કે હજું મારી ભક્તિ કર્મમાં કંઇક ખામી હશે થોડા દિવસ પછી એક વૃધ્ધ છતાં તેજસ્વી કારીગર રાજા પાસે આવ્યો. અને રાજાને કહ્યું કે હે રાજા આ થડમાંથી હું તને મૂર્તિ બનાવી આપું પરંતું મારી એક શરત છે. વૃધ્ધ કારીગરની વાત ઉપર કોઇને વિશ્ર્વાસ ન હતો પરંતું રાજાએ કહ્યું કે આપની જે શરત હશે તે પળાયી ત્યારે વૃધ્ધ કારીગરે કહ્યું કે એકવીસ દિવસ સુધી મંદિરનો ગભારો બંધ રહેશે કોઇએ ખોલવો નહિ . હું એકવીસ દિવસમાં મૂર્તિ બનાવીશ ત્યારે રાજા સંમત થયા અન્ય લોકોની ના છતાં થડ વૃધ્ધ કારીગરને સુપ્રત થયું આ મંદિરનો ગભારો બંધ કરી તાળાં મારી દેવામાં આવ્યાં . લોક્ને થયું રાજા મૂર્ખ છે. આ કોઇ પ્રપંચી હશે અને મંદિરમાંથી ઝવેરાત ચોરીને ભાગી જશે. અથવા બંધ ગભારામાં ગૂગળાઇને મરી જશે પરંતું રાજાને વિશ્ર્વાસ હતો. તેથી તેની આગળ રજૂઆત કોણ કરે આ શંકાધારી લોકોએ રાણિ આગળ રજૂઆત કરી . રાણિ રાજાને કનડવા લાગી અને રાજાને મંદિર ખોલી ખાતરી કરવા તૈયાર કર્યો. રાજાએ મંદિરના દ્રારો ખોલાવ્યા તો મંદિરમાં અપૂર્ણ એવી ત્રણ મૂર્તિઓ હતી જેના હાથપગ વગેરે જેવા ભાગ બનાવવાના બાકી હતા. અને કારીગર ના દેખાયો તપાસ કરી પરંતું કારીગર ગાયબ હતો . રાજા ગભરાયો એને પસ્તાવો થયો કે પ્રભૂ તું પોતે કારીગર બની આવ્યો પરંતું મને વિશ્ર્વાસ ના રહ્યો . પહેલાં હું અભિમાની બન્યો અસ્ને ત્યાર પછી વિશ્ર્વાસના રાખ્યો. ધન્ય છે પ્રભું તને અને ધિક્કાર છે. પ્રભૂ મારા અવતારને સ્વયં તું પધાર્યો પરંતું તને હું ઓળખી પણ ના શક્યો પ્રભું મને માફ કરી દે અને હવે મારા પર કૃપા કર તેઓ રાજાનો વલોપાત સાંભળિ આકાશવાણિ થઈ કે હે રાજા આ મહાન કર્મયોગી દ્રારા નિરંઆણ પામેલ મંદિર છે. તેમાંજ આ જે છે તે મૂર્તિની પ્રતિષ્ઠા કરજે આજ મૂર્તિ લોકોને આર્શીવાદ આપશે . શરણે આવેલાને માર્ગદર્શન આપી દુખ દૂર કરશે. રાજા મારે કંઇ લેવાનું નથી તેમજ આપવાનું નથી તેથી મારે હાથ નથી અહીંથી ક્યાંય જવાનું નથી એટલે મારે પગ નથી મારે લોહીના કર્મો જોવાના છે. માણસના અંતરનો ભાવ જોવો છે.
જો બુધ્ધિ જોઇતી ભગવાન અને સંતો મુક્તિ આપશે. કર્મયોગથી પ્રભાવિત થઈ તેજસ્વી જીવન જોઇ માણસની ભાવથી તરબોળ અંતર જોઇ ભગવાન આપોઆપ વૈકુટ, સ્વર્ગ કે કૈલાશ છોડી દોડતાં જ આવશે. માટે કર્મ કરી સંતોના વચન પ્રમાણે ભક્તિ અને સેવા કરી લો.

No comments:

Post a Comment